• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • Wayanad Landslides: કેમ વાયનાડ પર વરસ્યો કુદરતનો કહેર, શા માટે પરિવારો બરબાદ થયા અને મોતનું તાંડવ ખેલાયું?

Wayanad Landslides: કેમ વાયનાડ પર વરસ્યો કુદરતનો કહેર, શા માટે પરિવારો બરબાદ થયા અને મોતનું તાંડવ ખેલાયું?

10:32 PM July 31, 2024 gujjunewschannel.in Share on WhatsApp



Why Landslides Happen In Wayanad : કેરળના વાયનાડમાં વિનાશકારી ભૂસ્ખલનમાં જાન-માલનું મોટું નુકસાન થયું છે. 170 થી વધુ લોકોના મોત થયા છે અને મૃત્યુઆંક હજુ પણ સતત વધી રહ્યો છે. તો બીજી બાજુ મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભૂસ્ખલનને કારણે અનેક મકાનો ધરાશાયી થયા છે. હાલમાં રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. કેરળના વાયનાડમાં વરસાદે વિનાશ વેર્યો છે. ભારે વરસાદ, પુર અને ભૂસ્ખલન બાદ વાયનાદમાં હાલ સ્થિતિ ખરાબથી બદતર થઈ રહી છે. મુશ્કેલીઓ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહી.

Why Landslides Happen In Wayanad , કેરળના વાયનાડમાં ભૂસ્ખલન ,

► દક્ષિણમાં ભૂસ્ખલન અને માત્ર કેરળમાં જ કેમ ?

હવે દરેકના મનમાં એક સવાલ આવી રહ્યો છે કે, આવું ભૂસ્ખલન માત્ર કેરળમાં જ કેમ જોવા મળ્યું? મોટાભાગની ઘટનાઓ પહાડી વિસ્તારોમાં થાય છે, આવા અહેવાલો હિમાચલ-ઉત્તરાખંડથી આવે છે, આખરે વાયનાડમાં આટલો બધો વિનાશ કેવી રીતે થાય છે? આ માટે નિષ્ણાંતોએ અમુક કારણો આપ્યા છે. સરળ શબ્દોમાં કહીએ તો, આપણે એ સમજાવવાનો પ્રયાસ કરીએ કે વાયનાડમાં શા માટે અને કેવી રીતે આટલો વિનાશ જોવા મળી રહ્યો છે.

► ભૂસ્ખલન શા માટે થાય છે?

હકીકતમાં કેરળના પશ્ચિમ વિસ્તારોમાં પર્વતો છે. કેરળમાં ઓછી માટીવાળા અને અત્યંત લીલા પહાડો જોવા મળે છે. હવે બીજી વાત સમજવા જેવી છે કે કેરળમાં દર વર્ષે વરસાદ પડે છે, રેકોર્ડ પણ તૂટે છે. પરંતુ ભૂસ્ખલન એટલું બધું હોતું નથી. આ વખતે વરસાદનો પ્રકોપ જોવા મળ્યો, ત્યારબાદ તેના કારણે પહાડો નબળા પડી ગયા અને વાયનાડમાં મોટા પાયે ભૂસ્ખલન જોવા મળ્યું. મહત્વનું છે કે જ્યાં વૃક્ષો અને જંગલોનું પ્રમાણ વધારે હતું ત્યાં ખુલ્લા મેદાન થઈ ગયા છે. અને અન્ય જગ્યા પર ખેતી થવા લાગી છે. પરંતુ જંગલોના વૃક્ષો આ માટીને જકડીને રાખતા હતા તે રહ્યા ન હતા. અને વધારે વરસાદ થતા માટી ધસી પડી હતી. 

► વરસાદ કેવી રીતે વિલન બને છે?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાયનાડમાં સોમવાર અને મંગળવારે 140 મીમી વરસાદ થયો હતો, આ આંકડો સામાન્ય વરસાદ કરતા પાંચ ગણો વધારે છે. અહીં પણ જો એકલા વાયનાડની વાત કરીએ તો કેટલાક વિસ્તારોમાં 300 મીમી સુધી વરસાદ થયો છે, એટલું કહેવું પૂરતું છે કે આટલા મોટા પાયે વિનાશ કેમ થયો. કેરળ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર કે.એસ.સજીનકુમાર કહે છે કે વાયનાડના ભૂપ્રદેશમાં બે સ્તરો છે, પહેલું સ્તર ખડકનું છે અને તેની ઉપર માટીનું બીજું સ્તર છે. હવે જ્યારે વધુ વરસાદ પડે છે ત્યારે જમીન પણ ભીની થઈ જાય છે, આવી સ્થિતિમાં, ખડક અને માટી વચ્ચેનું જોડાણ નબળો પડી જાય છે, પરિણામ ભૂસ્ખલન થાય છે. કદાચ આ વખતે પણ એવું જ બન્યું હશે.

► વાયનાડની ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે?

હવે એવું બને છે કે,આ વિસ્તારોમાં પર્વતો પહેલેથી જ નબળા છે, તેની ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે જે વિકાસ થાય છે તે પરિસ્થિતિને વધુ ખરાબ કરે છે. આ વિશે પૂર્વ વૈજ્ઞાનિક જી શંકરે કહે છે કે આવા વિસ્તારોમાં ખોદકામ બિલકુલ થવું જોઇએ નહીં. હવે એવું ન કહેવું જોઈએ કે આ કારણે જ લેન્ડસાઇડ હશે, પરંતુ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા કેટલાક નિયમો હોવા જોઈએ.

► કેરળના વાયનાડમાં હવે શું કરવું જોઈએ?

સૌથી મોટી વાત એ છે કે, કેરળ ના વાયનાડમાં આટલા ભારે વરસાદની આગાહી પહેલા જ કરવામાં આવી હતી, પરંતુ વહીવટી સ્તરે ખાસ કંઈ કરી શકાય તેમ નથી. સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે કેટલા વરસાદથી ભૂસ્ખલન થઈ શકે છે. તો જ એક્શન પ્લાન તૈયાર કરવો જોઈએ અને લોકોને એલર્ટ કરવા જોઈએ. 


Follow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Why Landslides Happen In Wayanad , કેરળના વાયનાડમાં ભૂસ્ખલન , શા માટે ભૂસ્ખલન થાય છે?



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us